એક જ ઇમેજમાં બંધાઇ રહેવાથી મુકત છે અરશદ વારસી
અભિનેતા અરશદ વારસી લાંબા સમયથી બોલીવૂડમાં અનેક ભુમિકા નિભાવી ચુકયો છે. મુન્નાભાઇ અને ગોલમાલ સિરીઝની તેની ભુમિકાઓએ તેને ખુબ મોટુ નામ અપાવ્યું છે. જો કે પોતાની કોમીક ભુમિકાઓની લોકપ્રિયતા વચ્ચે પણ તે આ એક જ પ્રકારની ઇમેજમાં બંધાઇ રહેવાથી બચી શકયો છે. કારણ કે તેને તેની ગંભીર ભુમિકાઓમાં પણ ખુબ પસંદ કરવામાં આવ્યો છે. છેલ્લે તે ભુમિ પેડનેકર સાથેની ફિલ્મ દૂર્ગામતિ-ધ મિથમાં રાજકારણીના રોલમાં જોવા મળ્યો હતો. અરશદ કહે છે એક અભિનેતા તરીકે સ્ટીરીયોટાઇપ થવું સરળ હોય છે, પણ એનાથી દૂર રહેવું મુશ્કેલ હોય છે. તમે કયારેક કોઇ ભુમિકા ભજવો એ દર્શકોને ખુબ ગમે અને ફરીથી તમે એવા જ રોલ નિભાવો તો પછી તમને સતત એવા જ રોલ ઓફર થતાં રહે છે. જો કે હું આવા બંધનમાં બંધાઇ રહેવાથી મુકત છું. મેં ગંભીર પાત્રોની સાથોસાથ કોમેડીનો આનંદ પણ લીધો છે. અરશદ કહે છે હું મને અપાતા પાત્રમાં એવો ઢળી જાઉ છું કે પછી હું મારું પાછળનું પાત્ર પણ દર્શકોની નજરમાંથી ભુલાવી દઉ છું. અરશદ હવે બચ્ચન પાંડેમાં જોવા મળશે.