નાયરા હવે હમેંશા દિલમાં રહેશેઃ શિવાંગી
ટીવી પરદાના ખુબ જાણીતા શો યે રિશ્તા કયા કહેલાતા હૈને અસંખ્ય દર્શકોએ પસંદ કર્યો છે. આ શોમાં નાયરાનો રોલ નિભાવનારી અભિનેત્રી શિવાંગી જોષીએ શોને અલવીદા કહી દીધું છે. ખુદ શિવાંગીએ જ કહ્યું હતું કે ખુબ મુશ્કેલીજનક બની રહેશે મારા માટે નાયરાનું પાત્ર છોડીને આગળ વધવાનું. પણ કહાની ખતમ થતી રહે છે, પાત્રો નહિ. સાઢા ચાર વર્ષ સુધીમાં એ ખબર જ ન પડી કે કયારે શિવાંગી નાયરા બની અને કયારે નાયરા શિવાંગી. નાયરાની સાથે મને અનેક પાત્રો ભજવવાની તક મળી હતી. એક પુત્રી, એક વહુ અને એક માતાનું પાત્ર મેં ભજવ્યું હતું. પણ બધા જાણે છે કે નાયરાનું પત્નિનું પાત્ર સોૈથી વધુ સારુ રહ્યું હતું. હવે આ ખુબસુરત પાત્રને અલવીદા કરવાનો સમય આવી ગયો છે. નાયરા હવે હમેંશા મારા અને તમારા દિલમાં રહેશે. કાર્તિકના પરિવારના રૂપમાં કાયરવ, કાર્તિક અને અક્ષરા હમેંશા તમારી સાથે રહેશે. નાયરાના પાત્રનું અકસ્માતમાં મોત થતું દર્શાવાયું છે. શિવાંગી કહે છે આ દ્રશ્યનું શુટીંગ મને સમજાવાયું ત્યારે હું રડી પડી હતી.