ફિલ્મ જગત
News of Saturday, 16th November 2019

અભિનેતા પંકજ ત્રિપાઠીએ શૅર કર્યું મિર્ઝપુર સીઝન-2નું ટીઝર : ઇન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યૂ

 

મુંબઈ : ફિલ્મ અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોતાની હિટ વેબ સીરીઝ મિર્ઝાપુરના એક વર્ષ પૂરાં થવા પર પોતાનો ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ કર્યો. આ અવસરે તેમણે મિર્ઝાપુરની બીજી સીઝનનો એક નાનો ટીઝર પણ શૅર કર્યો. તેણે ટીઝર પર કોમેન્ટ કરી 'અમે બનાવશું ઇન્સ્ટાગ્રામને મિર્જાપુર.' વીડિયોમાં અંતિમ સંસ્કારનો સીન બતાવવામાં આવ્યો છે. બે ચિતાઓ બળી રહી છે અને કેટલાક લોકો તેની આસપાસ ઊભા છે.

ટીઝરમાં કાલીન ભૈયા ઉર્ફે પંકજ ત્રિપાઠીનું સિંહાસન પણ અંતિમ શૉટમાં દેખાય છે, જ્યારે તેનું અવાજ બેકગ્રાઉન્ડમાં સંભળાય છે.

પંકજ ત્રિપાઠી કહે છે, "જે આવ્યું છે તે જશે પણ બસ મરજી અમારી હશે. મિર્ઝાપુરને ચાહવાવાળાને વર્ષગાંઠની વધામણી." નવી સીઝન 2020માં આવતાં વર્ષે આવશે. ઇન્સ્ટાગ્રામ પર પંકજ ત્રિપાઠી અને મિર્ઝાપુરનું નવું ટીઝર જોઇને ચાહકો ખૂબ જ ખુશ થયા. મિર્ઝાપુર શૉમાં ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રને ચલાવતાં મુખ્ય માફિયાઓની ભૂમિકા પંકજ ત્રિપાઠીએ ભજવી છે.

(9:08 pm IST)