ફિલ્મ જગત
News of Thursday, 17th October 2019

મણી અદ્દભુત નિર્દેશક છેઃ ઐશ્વર્યા

ઐશ્વર્યા રાય બચ્ચન ફરી ચર્ચામાં આવી છે. તે મણિ રત્નમ સાથે વધુ એક વખત ફિલ્મ કરવા જઇ રહી છે. આ ફિલ્મની ખાસ બાબત એ છે કે તેમાં એૈશ્વર્યાનો ડબલ રોલ છે. ઐશ્વર્યા કહે છે મણિરત્નમ સાથે ફિલ્મ કરવામાં હમેંશા મજા આવ છે. આ વખતે તો મને ડબલ રોલ મળ્યા છે. ઐશ્વર્યાએ અગાઉ  ઇરૂવર, ગુરૂ અને રાવણ જેવી ફિલ્મ મણી સાથે કરી છે. ઐશ્વર્યા કહે છે કે મણીરત્નમ એવા ફિલ્મકાર છે કે તેને હા કહેવામાં જરાપણ વિચાર કરવાની જરૂર રહેતી નથી. મણી મારા ગુરૂ છે અને આપણા દેશના સોૈથી અદ્દભુત અને પ્રતિભાશાળી નિર્દેશકોમાંથી એક છે. અભિષેક બચ્ચન સાથે ૨૦૦૭માં લગ્ન કરનારી ઐશ્વર્યાને એક દિકરી પણ છે. તે લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. હવે મણિરત્નમ સાથે ફિલ્મ મળતાં તે અત્યંત ખુશ છે. ૧૯૯૭માં ઇરૂવર ફિલ્મમાં તેણે પહેલી વખત મણી સાથે કામ કર્યુ હતું. એ પછી હિન્દી ફિલ્મ ઓૈર પ્યાર હો ગયા મળી હતી. તેણે અનેક હિટ ફિલ્મો આપી છે. હોલીવૂડની ફિલ્મો પણ તે કરી ચુકી છે. ૨૦૧૬માં એ દિલ હૈ મુશ્કિમાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી.

(10:06 am IST)