ફિલ્મ જગત
News of Wednesday, 17th October 2018

અમારા મેરેજથી કોઈ રાજી નહોતું :અજય સાથે લગ્નને લઈને કાજોલે કર્યો ખુલાસો

મુંબઈ :હાલમાં જ કાજોલ નેહા ધૂપિયાના ચૈટ શોમાં ભાગ લેવા પહોંચી હતી. શોમાં કાજોલે અને અજયના સાથેના લગ્નને લઈ અમુક કિસ્સાઓ વર્ણવ્યા હતા. તેણે કહ્યુ કે, કોઈ પણ અમારા લગ્નથી રાજી નહોતુ.

  કાજોલે કહ્યું હતું કે મારા પરિવારવાળા સિવાય અજયના પરિવારજનો પણ આ લગ્નથી ખુશ નહોતા. જયારે મે મારા પિતાને કહ્યુ કે હું લગ્ન કરવા માંગુ છું તો તેઓ દુખી થઈ ગયા હતા અને હપ્તા સુધી મારી સાથે વાત નહોતી કરી.

(1:22 pm IST)