News of Wednesday, 17th July 2019
મને ભૂખ લાગતી ન હતી, ૪ માસમાં ઘટયું ર૬ કિલો વજનઃ કેન્સર પર ઋષિકપુરની ટિપ્પણી
ઋષિ કપુરએ કેન્સરને લઇને કહ્યું છે કે પહેલા ૪ મહિના મને ભૂખ લાગતી ન હતી જેથી મારૂ વજન ર૬ કિલો ઓછું થઇ ગયુ. હવે મે ૭ થી ૮ કિલો વજન વધાર્યુ છે.
ન્યૂયોર્કમાં સારવાર લઇ રહેલ ઋષિકપુરએ કહ્યું ૯ મહિના અને ૧૬ દિવસ થઇ ગયા છે. ઘરની ખુબ જ યાદ આવે છે. ઋષિએ કહ્યું એમને ઓગષ્ટ સુધીમાં ભારત પાછા આવવાની આશા છે.
(12:07 am IST)