પ્રિયંકા ચોપરાએ કરી ચોથી મરાઠી ફિલ્મની જાહેરાત
મુંબઈ: પ્રિયંકા ચોપરાએ પોતાની ચોથી મરાઠી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનુ નામ પાણી હશે. ટીપીકલ મુદ્દાને લઈને બનાવામાં આવી રહેલ આ ફિલ્મ વાસ્તવીકતા પર આધારીત હશે. પ્રિયંકાએ જણાવ્યુ હતુ કે મેં એ વિચાર સાથે પર્પલ પિર્ક્ચની શરૃઆત કરી હતી કે તેના બેનર નીચે સારી વાર્તાઓ અને પ્રતિભાશાળી લોકોને એક મંચ આપી શકે. ફિલ્મ પાણી મારા માટે ખાસ છે. કારણે કે તે એક સત્ય ઘટના પર આધારીત છે. ફિલ્મમાં એક સામાજિક મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
પ્રિયંકાએ એક બ્લ્યુ મોશન પોસ્ટર પણ રિલીઝ કરતા લખ્યુ છે કે અમારી મરાઠી ફિલ્મ પાણીનુ શુંટિંગ ઝડપથી શરૃ થઈ જશે. આદિનાથ કોઠારેના ડાયરેક્સન નીચે બની રહેલ આ ફિલ્મ એક પ્રેરણાદાઈ વાર્તા પર આધારીત છે.
પ્રિયંકા ચોપરા આ પહેલા ત્રણ મરાઠી ફિલ્મો બનાવી ચુકી છે. જેમાં વેન્ટિલેટર, કાય રે રાસ્કલા અને ફાયરબ્રાંડનો સમાવેશ થાય છે. જેમાંથી તેની ફિલ્મ વેન્ટીલેટરને ત્રણ નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. તાજેતરમાં જ પ્રિયંકાના અમેરિકન ટીવી શો ક્વાંટિકો બંધ કરવાની જાહેરાત થઈ હતી.