ફિલ્મ જગત
News of Tuesday, 17th April 2018

મેરી આશીકી તુમસે હૈ ના અભિનેતા શકિત અરોરા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા

મુંબઇઃ ટીવી શ્રેણી મેરી આશીકી તુમસે હેના અભિનેતા શકિત અરોડા અને નેહા સકસેનાઅે લગ્‍ન કરી લીધા છે. આ બંન્નેની સગાઇ ૪ વર્ષ પહેલા થઇ હતી.

બંનેએ 6 એપ્રિલે મુંબઈમાં લગ્ન કરી લીધા છે. જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જે બાદ લગ્નની ખબરની પુષ્ટી થઈ છે. તમને જણાવી દઈ કે આ બંને 4 વર્ષ પહેલા સગાઈ કરી હતી.

શક્તિ અરોડાએ નેહા સાથેની પોતાના લગ્નની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. અને પોતાના ફેન્સ સામે લગ્નને લઈને ખુલાસો કર્યો છે. તમને જણાવી દયે કે 5 જૂન 2014માં શક્તિ અને નેહાએ સીક્રેટલી સગાઈ કરી હતી. જેથી તેના લગ્નને લઈને ખબરો હંમેશા ફેલાતી રહેતી હતી.

આ પહેલા નવેમ્બર 2016માં તેમના લગ્ન થવા હતા. પરંતુ નોટબંધીના કારણે તેને લગ્ન કર્યા ન હતા. જે બાદ તેના બ્રેકઅપની પણ ખબરો સામે આવી હતી. નેહાએ હમણાં જ એન્ડ ટીવીના શો 'સિદ્ધિ વિનાયક'માં જોવા મળી હતી. શક્તિ અને નેહાએ 'નચ બલિએ'ની 7મી સીઝનમાં પાર્ટિસિપેટ કર્યું હતું. જ્યારે શક્તિ અને નેહાએ ટીવી શો 'તેરે લિએ' માં પણ સાથે કામ કર્યું છે.

(7:28 pm IST)