અભિનય નહોતો મારો પહેલો પ્રેમઃ શરદ
ટીવી પરદાના ખુબ જાણીતા અભિનેતા શરદ મલ્હોત્રાએ કહ્યું હતું કે મને અભિનયમાં નહિ પણ ક્રિકેટમાં રસ હતો. હું ક્રિકેટમાં જ આગળ વધવા ઇચ્છતો હતો અને એ માટે ભરપુર તૈયારી પણ કરી હતી. શરદે 'બનું મૈં તેરી દુલ્હન', 'કસમ તેરે પ્યાર કી', 'નાગીન ૫' અને 'વિદ્રોહી' સહિતના શોમાં કામ કર્યું છે. પોતાની કારકિર્દી વિશે શરદે કહ્યું કે 'હું શરૂઆતમાં ક્રિકેટ રમતો હતો અને એમાં જ આગળ વધવા માગતો હતો. મને પ્રોફેશનલી રમવાની પણ ઇચ્છા હતી. પણ નસિબમાં કઇક જુદૂ જ લખેલુ હતું. હું આ શોબિઝમાં જાણીજોઈને નહોતો આવ્યો. મને લાગે છે કે જેકાંઈ થાય છે એ સારા માટે થાય છે. હવે મને કોઈ ફરિયાદ નથી. અભિનયમાં આવ્યો એ પહેલા મેં વીમા સલાહકાર તરીકે પણ કામ કર્યુ હતું. મારી પહેલી નોકરી પણ આ કામ માટે જ હતી. પહેલી પોલીસી વખતે મને ૮થી ૯ હજાર જેટલું કમિશન મળ્યું હતું. આ ૧૮-૧૯ વર્ષ પહેલાંની વાત છે. મેં મારી મમ્મીને પૈસા આપ્યા હતાં. મને યાદ છે કે અમે બધા ફિલ્મ જોવા ગયાં હતાં અને ત્યાર બાદ ડિનર પણ કર્યું હતું.