જરૂરી નથી કે હિટ ફિલ્મોની સિક્વલ પણ હિટ જ જાય: અર્જુન કપૂર
મુંબઈ:હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે દરેક વખતે કોઇ હિટ ફિલ્મની સિક્વલ હિટ નીવડે એવું અગાઉથી કહી શકાય નહીં. ઓરિજિનલ હિટ બની માટે સિક્વલ પણ હિટ બનશે એવું માની ન શકાય.હાલ અર્જુન કપૂર નમસ્તે લંડનની સિક્વલ નમસ્તે ઇંગ્લંેડ કરી રહ્યો છે. મૂળ અને સિક્વલ બંને પ્રથમ હરોળના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની છે. ઓરિજિનલમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્યાં હતાં જ્યારે સિક્વલમાં અક્ષય સળંગ તારીખો આપી શકે એમ નહીં હોવાથી એને બદલે અર્જુન કપૂરને લેવામાં આવ્યો હતો.હાલ અર્જુન આ ફિલ્મના પ્રમોશનમાં બીઝી છે. એણે કહ્યું કે મૂળ ફિલ્મ હિટ બનવાના સંજોગો અલગ હોઇ શકે. એટલે સિક્વલ પણ હિટ થવાની છે એવી અપેક્ષા રાખીએ એ ઠીક છે પરંતુ સિક્વલ સો ટકા હિટ નીવડશે એવું કહી શકાય નહીં. કોઇ ફિલ્મ સર્જક આવી ભવિષ્યવાણી કરી શકે નહીં. ૨૦૦૭ની હિટ ફિલ્મ નમસ્તે લંડનની આ સિક્વલમાં અર્જુન કપૂર સાથે પરિણિતી ચોપરા ચમકી રહી છે. બંનેની કેમિસ્ટ્રી ફિલ્મ રજૂ થયા પહેલાંજ વખણાવાની શરૃઆત થઇ ગઇ હતી.અર્જુને કહ્યું કે ફિલ્મ બનાવતી વખતે ભલે એવી આશા રાખીએ કે ફિલ્મ હિટ નીવડે પરંતુ આખરે તો ઓડિયન્સના હાથમાં નિર્ણય હોય છે.