ફિલ્મ જગત
News of Tuesday, 16th October 2018

'મણિકર્ણિકા' રિલીઝ થવાની આતુરતાથી રાહ જૂએ છે અંકિતા

ટીવી પરદેથી ફિલ્મી પરદે પહોંચતા અમુક અભિનેત્રી અને અભિનેતાઓ જ સફળ થાય છે. બાકીનાનું ટીવી પરદે કમબેક થઇ જાય છે. આવી જ એક અભિનેત્રી અંકિતા લોખંડે કે જે ટીવી શોમાં ખુબ જ સફળ નિવડી છે તે હવે બોલીવૂડમાં પહોંચી છે. 'પવિત્ર રિશ્તા' નામના શો થકી ઘર-ઘરમાં જાણીતી બનેલી અંકિતા લોખંડે અને સાથી કલાકાર સુશાંતસિંહ રાજપૂત વચ્ચે લાંબી રિલેશનશીપ ચાલી હતી. સુશાંત બોલીવૂડમાં સફળ થઇ જતાં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. હવે અંકિતાને પણ ફિલ્મો મળવા માંડી છે. તે કંગના રનોૈત સાથેની ફિલ્મ 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી'માં મહત્વનો રોલ નિભાવી રહી છે. અંકિતા આ ફિલ્મ રિલીઝ થવાની આતુરતારથી રાહ જોઇ રહી છે. અંકિતા ટીવી પરદેથી ભલે દુર રહી પણ તે સોશિયલ મિડીયા થકી ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે અને અવાર-નવાર પોતાની હોટ-ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે.

 

(10:00 am IST)