નુસરત ભરૂચાએ કર્યો નિર્દેશક લવ રંજનનો બચાવ
'મી ટૂ' અભિયાન અંતર્ગત બોલીવૂડની અનેક હસ્તીઓ સામે યોૈન ઉત્પીડનના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે અને ફરિયાદો નોંધાવાઇ રહી છે. જાણીતા નિર્દેશક લવ રંજન સામે પણ આવો આરોપ મુકાયો છે. ત્યારે તેના સમર્થનમાં અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું છે કે લવ વિશે ખોટી વાતો ફેલાવાઇ છે, તે આ પ્રકારના વ્યકિત જ નથી. નુસરતે લવ રંજન સાથે ઘણી ફિલ્મો કરી છે અને એ તમામ ફિલ્મો હિટ નિવડી છે. એક ગુમનામ અભિનેત્રીએ આરોપ મુકયો હતો કે પ્યાર કા પંચનામા ફિલ્મના ઓડિશન વખતે લવ રંજને પોતાને અંતઃ વસ્ત્રો ઉતારવાનું કહ્યું હતું. બીજી તરફ પ્યાર કા પંચનામા સિરીઝ, આકાશવાણી અને સોનુ કે ટીટૂ કી સ્વીટીમાં લવ રંજન સાથે કામ કરી ચુકેલી નુસરત ભરૂચા તેનો બચાવ કરી રહી છે. તેણે ટ્વિટર પર લાંબો પત્ર લખીને તેની તરફેણ કરી છે.