મણિરત્નમની ફિલ્મમાં નેગેટિવ રોલમાં નજરે પડશે એશ્વર્યા રાય બચ્ચન
મુંબઈ:મોખરાની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન સાઉથના ખમતીધર ફિલ્મ સર્જક મણીરત્નમની આગામી ઐતિહાસિક ફિલ્મમાં નેગેટિવ રોલ કરવા સંમત થઇ હોવાની માહિતી મળી હતી.ચોલા વંશના રાજવી અરુલમોળી વર્મનના પરિવારની કથા તમિળ ભાષાની હિટ નવલકથા પોનીયીન સેલ્વનમાં વર્ણવાઇ છે. આ નવલકથા પરથી મણીરત્નમ સ્ક્રીપ્ટ તૈયાર કરાવી રહ્યા છે અને તેમણે ઐશ્વર્યા રાય બચ્ચને પૂછ્યું હતું કે એ નેગેટિવ રોલ કરવા તૈયાર છે કે કેમ. ઐશ્વર્યાએ હા પાડી હોવાનું કહેવાય છેકથા દસમી સદીની છે જ્યારે ચોલા વંશના રાજાના મુખ્ય કારભારી તરીકે નિયુક્ત થયેલા પેરિયા પાઝુવેટ્ટારૈયરની ખટપટી સ્વભાવની પત્ની નંદિનીનો રોલ ઐશ્વર્યા કરશે. નંદિનીને ચોલા રાજપરિવાર તરફથી થયેલા કહેવાતા અન્યાયનો બદલો લેવા એ પોતાના પતિને એવી ખટપટમાં સંડોવી દે છે જેને કારણે ચોલા પરિવાર રાજપાટ ગુમાવી દે છે. નંદિની એક સત્તાભૂખી અને કાવાદાવા કરનારી મહિલા છેઐશ્વર્યાએ અગાઉ ૨૦૦૫માં ખાકી અને ૨૦૦૬માં ધૂમ ટુમાં નેગેટિવ રોલ કર્યો હતો.