'શોટગન શાદી'માંથી શ્રદ્ધા આઉટ..... પરિણીતી ઈન
મુંબઈ:એક્તા કપુરની આગામી ફિલ્મ શોટગન શાદીમાંથી શ્રદ્ધા કપુર આઉટ થઈ ચુકી છે અને તેના સ્થાને પરિણિતી ચોપરાને ફિલ્મમાં લેવામાં આવી છે. અગાઉ એક્તા કપુરે બનાવેલી ફિલ્મ એક વિલનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપુરની જોડી જોવા મળી હતી. આ ફિલ્મ સફળ રહી હતી એટલે એક્તાએ શોટગન શાદીમાં પણ સિદ્ધાર્થ અને શ્રદ્ધાને સાઈન કર્યા હતા. પરંતુ હવે શ્રદ્ધાની ગણતરી ટોચના કલાકારોમાં થાય છે. જ્યારે સિદ્ધાર્થ હજી સંઘર્ષ કરી રહ્યો છે. એટલે શ્રદ્ધાએ ફિલ્મની સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર કરવા માટે માંગ કરી હતી. જો કે એક્તા કપુરને તે વાત ગળે ઉતરી ન હતી. તેણે શ્રદ્ધાના સુચનો સ્વિકારવાની જગ્યાએ ફિલ્મની હીરોઈન બદલી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી શ્રદ્ધાની જગ્યાએ પરણિતીને લેવામાં આવી છે.