ફિલ્મ જગત
News of Saturday, 16th February 2019

જે શાંતિની વાત કરે તેને ચોકમાં ઉભા રાખી લાફાવાળી કરો

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત આર યા પારના મૂડમાં

મુંબઈ, તા. ૧૬ :. પુલવામા ખાતે સીઆરપીએફના ૪૦ જવાનોની ત્રાસવાદીઓએ હત્યા કર્યા બાદ સમગ્ર દેશ આક્રોશમાં છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પણ ભારે નારાજ છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે હુમલાખોરો ઉપર તીખા પ્રહારો કર્યા છે. કંગનાએ કહ્યુ છે કે પાકિસ્તાને માત્ર રાષ્ટ્રીય સુરક્ષા ઉપર હુમલો નથી કર્યો પરંતુ આપણી ગરીમા પર હુમલો કર્યો છે. આપણી ખામોશીને તેણે કાયરતા ગણી છે. આપણે હવે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવી પડશે. આપણા જવાનોને મારી નાખનારને મોતને ઘાટ ઉતારવા જ રહ્યા. કંગનાએ કહ્યુ છે કે, અત્યારે જે પણ શાંતિ અને અહિંસાની વાત કરે તો તેના મોઢા ઉપર કાળી મેશ ચોપડી, ગધેડા પર બેસાડી, ચાર ચોકમાં ઉભા કરી દેવા જોઈએ કે જેથી જે પણ પસાર થાય તે તેને લાફા મારતા જાય.(૨-૪)

(10:34 am IST)