મેં ક્યારે પણ વિચાર્યું ન હતું નવાજુદ્દીન આટલો સફળ થશે: હીરાની
મુંબઈ:મોખરાના ફિલ્મ સર્જક રાજકુમાર હીરાણીએ કહ્યું હતું કે નવાઝુદ્દીન સિદ્દીકીની પ્રગતિ જોઇને મને નવાઇ લાગે છે. મારી ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસમાં એણે સાવ નગણ્યો રોલ કર્યો હતો.વાત એવી છે કે મુન્નાભાઇ એમબીબીએસ બની ત્યારે નવાઝુદ્દીન હજુ સંઘર્ષ કરી રહ્યો હતો. એને હીરાણીએ આ ફિલ્મમાં સિનિયર અભિનેતા અને મુન્નાભાઇના ફિલ્મી તેમ જ વાસ્તવિક જીવનના પિતા સુનીલ દત્તનું ગજવું કાપનારા ખિસ્સાકાતરુ તરીકે રજૂ કરેલો. મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર નવાઝ સુનીલ દત્તનું ગજવું કાપે છે અને પકડાઇ જતાં પબ્લિક એને મારપીટ કરે છે એવું સાવ સામાન્ય દ્રશ્ય હતું.છતાં સંઘર્ષના દિવસો હતા એટલે નવાઝે એ દ્રશ્ય સ્વીકારી લીધું હતું.આજે તો નવાઝુદ્દીન પ્રથમ પંક્તિના કલાકારોમાં ગણાતો થઇ ગયો છે. હીરાણીએ કહ્યું કે મેં એને મુન્નાભાઇની પહેલી કડીમાં લીધો ત્યારે મને કલ્પના સુદ્ધાં નહોતી કે એ આટલો બધો આગળ નીકળી જશે. આ દ્રશ્ય મેં એક સત્યઘટના પરથી બનાવ્યું હતું. ખુદ મારા પિતાજીનું ગજવું આ રીતે સ્ટેશન પર કપાઇ ગયું હતું. એને આધારે મેં આ દ્રશ્યની રચના કરી હતી એમ હીરાણીએ પૂણેમાં એક ઇવેન્ટમાં બોલતાં કહ્યં હતું. એણે કહ્યું કે આજે તો નવાઝુદ્દીન એ લિસ્ટના કલાકારોમાં આવી ગયો છે. એની પ્રગતિ કાબિલ-એ-દાદ