News of Thursday, 15th August 2019
રજનીગંધા અને છોટી છોટી બાતેં ફેઈમ ફિલ્મ અભિનેત્રી વિદ્યા સિંહાનું નિધન
૭૧ વર્ષની વયે મુંબઈની જુહુ ખાતેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
મુંબઈ : રજનીગંધા અને છોટી છોટી બાતેં ફેઈમ ફિલ્મ અભિનેત્રી વિદ્યા સિંહાનું મુંબઈની જુહુ ખાતેની હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા
પતિ પત્ની ઔર વોહ સહિત અનેક સફળ ફિલ્મોમાં તેમણે અભિનય આપ્યો હતો. ૭૧ વર્ષની વયે તેઓનું નિધન થયું છે.
ફેફસા અને હૃદયરોગના દર્દોને લીધે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેમનું લગ્ન જીવન સતત નિશ્ફલ રહેલ. બીજા લગ્ન ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાના ડો. સાલુંખે સાથે થયેલ હતા. તેમાં પણ શારીરીક, માનસિક ત્રાસને
લીધે ૨૦૧૧માં છૂટાછેડા લીધા હતા.
તેમને સિરિયસ સ્થિતિમાં જુહુ હોસ્પિટલે લાવવામાં આવેલ અને વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલ.હતા
(8:09 pm IST)