ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

ફિલ્મ 'દરબાર'માં રજનીકાંતનો એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનો રોલ

મુંબઈ: સાઉથના મેગાસ્ટાર રજનીકાંત હાલ મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ દરબારના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટનો રોલ કરશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. ફિલ્મની તમિળ આવૃત્તિનું શૂટિંગ હાલ મુંબઇમાં ચાલી રહ્યું છે. સાઉથની મોખરાની અભિનેત્રી નયનતારા સાથે રજનીકાંતનો બીજો પ્રોજેક્ટ છે. ફિલ્મ ત્રણ ચાર ભાષામાં બનાવવાની ફિલ્મ સર્જકોની યોજના છે એવું પણ જાણવા મળ્યું હતુંજાણકાર સૂત્રોએ કહ્યું કે ફિલ્મમાં એક્શન, સંવેદન અને નાટકીયતા એમ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુંબઇના વિવિધ લોકેશનો પર શૂટિંગ કરવામાં આવ્યું હતું જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ (બોરીબંદર), ગોરેગાંવ પૂર્વમાં આવેલી ફિલ્મ સિટિ, રૉયલ પામ્સ અને અન્ય વિસ્તારોનો સમાવેશ થયો હતો. ધોબીતળાવ પર આવેલી સેંટ ઝેવિયર્સ કૉલેજમાં મુખ્ય ઝીરો રુમ (ઇન્વેસ્ટિગેશન રૃમ )બનાવવામાં આવ્યો હતો.ઔએ આર મુરુગાદોશ નિર્દેશિત ફિલ્મને હિન્દીમાં પણ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની યોજના છે. રજનીકાંતની છેલ્લી ફિલ્મ . સુપરહિટ નીવડી હતી અને બોક્સ ઑફિસ પર પણ ફિલ્મે ટંકશાળ પાડી હતી ફિલ્મ દરબારને ૨૦૨૦ના જાન્યુઆરીની ૯મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે

(5:12 pm IST)