મને અક્ષય અને અજયને જોઈને ગર્વ, બંનેને સલામ કરૂ છુ : સુનિલ શેટ્ટી
મુંબઇ,તા.૧૫ : ૯૦ના દાયકામાં સુનીલ શેટ્ટી બોલિવૂડના લીડ એક્ટર્સમાંથી એક હતો. તે સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્શન હીરો તરીકે અક્ષય, અજય દેવગણ અને સુનીલ શેટ્ટીનું નામ લેવાતું હતું. પરંતુ ધીમે-ધીમે આ ત્રણેય કરિયરમાં જુદી-જુદી દિશામાં પહોંચી ગયા. અક્ષય અને અજય દેવગણે અત્યાર સુધી પોતાની પકડ જમાવી રાખી છે, તો સુનીલ શેટ્ટી તેની કેટલીક ભૂલોને લીધે રેસમાંથી દૂર થઇ ગયો. આ વાત પોતે સુનીલ શેટ્ટીએ માની છે.
૫૭ વર્ષના સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આજે મને અક્ષય અને અજયને જોઇને ગર્વ થાય છે. હું તેમને સલામ કરું છું. તે મારા નિકટના મિત્ર છે. આજે તેમણે જે જગ્યા મેળવી છે તે તેનાથી મને પ્રેરિત કરે છે. મને ઇર્ષા થતી નથી. મેં ભૂલો કરી છે અને તેના કારણે આજે હું અહીં છું. હું બન્નેના બહુ વખાણ કરું છું અને વિચારું છું કે કાશ હું તેમના જેવો હોત. તેના માટે મારે બહુ મહેનત કરવી પડશે.