હું દર્શકોને અસહજ કરી શકુ નહિઃ અજય
બોલીવૂડમાં આજે જ્યારે લગભગ દરેક ફિલ્મમાં કિસિંગ સિન જાણે જરૂરિયાત બની ગયા છે ત્યારે અજય દેવગણ પોતાની ફિલ્મોમાં આવા સિન આપવાથી દૂર રહે છે. એકાદ અપવાદ સિવાય તેણે કદી કિસિંગ સિન આપ્યા નથી. બોલીવૂડમાં ત્રણ દાયકાથી કાર્યરત અજય કહે છે મારી ફિલ્મો મોટે ભાગે ફેમિલિ ફિલ્મ હોય છે, ત્યારે હું કિસિંગ સિન આપીને મારા દર્શકો કે જે પરિવાર સાથે આવ્યા હોય છે તેને અસહજ કરવા ઇચ્છતો નથી હોતો. અજય કહે છે હું ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ કરુ છું એ પણ પારિવારિક દર્શકોને ધ્યાને રાખીને કરતો હોઉ છું. આથી જ મારી ફિલ્મોમાં ઓનસ્ક્રિન કિસિંગની ડિમાન્ડ હોતી નથી. મારી જવાબદારી છે કે હું અને મારી ટીમ જવાબદારી સાથે દર્શકોને તંદુરસ્ત મનોરંજન આપીએ. મને પણ પરિવાર સાથે ફિલ્મ જોવી ગમે છે. ત્યારે બીજા પરિવારજનોને હું કિસિંગ સિનથી પરેશાન કરી શકું નહિ. અજયની જેમ સલમાન પણ આવા દ્રશ્યોથી દૂર રહે છે.