હવે રાક્ષસ બનશે ગજેન્દ્ર ચૌહાણ
બી. આર. ચોપડાની સિરીયલ મહાભારતમાં યુધિષ્ઠીર બનીને ઘરે-ઘરમાં ઓળખ મેળવી ચુકેલો અભિનેતા ગજેન્દ્ર ચોૈહાણ હવે રાક્ષસના રોલમાં જોવા મળશે. ગજેન્દ્ર ટીવી, ફિલ્મોના અભિનેતા ઉપરાંત ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટના ચેરપરસન પણ રહી ચુકયા છે. ફરીથી તે એક ધાર્મિક સિરીયલમાં કામ કરશે. અગાઉ ધર્મરાજ બનેલા આ અભિનેતાને હવે અસૂર બનવાનો રોલ મળ્યો છે. ટીવી શો વિઘ્નહર્તામાં ગજેન્દ્ર દંભાસુર નામના રાક્ષસનો રોલ નિભાવી રહ્યા છે. આ શો સોની પરનો છે. ગજેન્દ્રએ કહ્યું હતું કે દંભાસુર એક એવો રાક્ષસ હતો જેણે ભગવાન શિવના કૈલાસ પર્વત પરના સ્થળને છીનવી લેવા પ્રયાસ કર્યો હતો. આ રોલ ખુબ જ દમદાર છે. દર્શકોને મારો નેગેટીવ રોલ પણ ગમશે. ૨૦૧૫-૧૭માં ગજેન્દ્ર ફિલ્મ ટેલિવિઝન ઇન્સ્ટીટ્યુટના ચેરપરસન હતાં ત્યારે છાત્રોએ તેને હટાવવા ખુબ પ્રદર્શન કર્યુ હતું.