ફિલ્મ જગત
News of Wednesday, 14th February 2018

મેરેજમાં અડધો કલાક આવવા રણવીરને ૨ કરોડની ઓફર

પદ્માવતથી વધી ગઇ રણવીરની પોપ્યુલારિટી

મુંબઇ તા. ૧૪ : પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવીને રણવીર સિંહ જોરદાર ચર્ચામાં છે. તેણે આ કેરેકટર માટે કરેલી મહેનતના પણ લોકો વખાણ કરી રહ્યા છે. પદ્માવત બાદ રણવીર આલિયા ભટ્ટ સાથે ગલી બોય નામની એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે, અને આ ફિલ્મમાં તેનો લૂક પણ હાલ ખાસ્સો ચર્ચામાં છે.

રણવીર સિંહ એટલો ફેમસ છે કે, તેની પાસે ઢગલાબંધ એડ્સના અસાઈન્મેન્ટ તો છે જ, તેની સાથે-સાથે કોઈ ઈવેન્ટ્સમાં જવાનો પણ તે તગડો ચાર્જ વસૂલ કરે છે. હાલમાં જ એક લગ્નમાં રણવીર સિંહનો માત્ર અડધો કલાકની હાજરી આપવા માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. આ લગ્ન માટે રણવીરને એટલી તગડી ફી ઓફર કરવામાં આવી હતી કે સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે.

રણવીર સિંહ આ મેરેજમાં માત્ર અડધો કલાક માટે જ જવાનું હતું. જેના માટે તેને પૂરા બે કરોડ રુપિયાની ઓફર આપવામાં આવી હતી. પરંતુ આપને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે આટલી મોટી ઓફર હોવા છતાં રણવીરે તેના માટે સાફ ઈનકાર કરી દીધો હતો. કામ પ્રત્યે જોરદાર કમિટમેન્ટ ધરાવતા રણવીરે આ ઓફર કેમ નકારી તેનું કારણ પણ રસપ્રદ છે.

રણવીર હાલ ગલી બોયના શૂટિંગમાં વ્યસ્ત છે, તેની આ ફિલ્મ ટૂંક જ સમયમાં રીલિઝ થવાની છે. અને ફિલ્મના શૂટિંગમાં બિઝી હોવાના કારણે તેણે મેરેજમાં માત્ર અડધો કલાક હાજરી આપવાના બે કરોડ રુપિયા મળતા હોવા છતાં આ ઓફર નકારી દીધી હતી. રણવીરનું માનવું હતું કે, આમ કરવાથી તેનું ધ્યાન શૂટિંગમાં નહીં રહે.(૨૧.૭)

(9:45 am IST)