વેલેન્ટાઇન ડેના દિવસે નેહા કક્કર અને આદિત્ય નારાયણ લગ્ન કરશે
મુંબઇ તા.૧૫: ટીવી રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ-૧૧ના સેટ પર સિંગર નેહા કકકર અને આદિત્ય નારાયણના લગ્ન ફિકસ થઇ ગયાં છે. એક એપિસોડ દરમિયાન બંનેના માતા-પિતાએ પહોંચી લગ્ન નક્કી કરી લીધા છે એટલું જ નહીં, આ સિંગર કપલનાં લગ્ન વેલેન્ટાઇન ડેના દિવસે થશે.
શોના હોસ્ટ આદિત્ય નારાયણ અને સિંગર નેહા કકકરનાં લગ્ન નક્કી થઇ ગયાં છે. શો પર મહેમાન તરીકે પહોંચેલી નેહાની માતાએ કહ્યું કે અમે નક્કી કર્યુ છે કે તારાં લગ્ન આદિત્ય સાથે થશે. હું અને તારા પિતા આદિત્યને ખૂબ જ પસંદ કરીએ છીએ. આ દરમિયાન નેહા પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ. શો પર બંનેનો સંબંધ નક્કી કરવા પહોંચેલા ઉદિત નારાયણે કહ્યું કે અમે નહીં આદિત્ય અને નેહાનાં લગ્ન કરાવવા આવ્યાં છે. બંનેની જોડી જામી રહી છે. આ દરમિયાન આદિત્ય સ્ટેજ પર નાચતો જોવા મળ્યો હતો. નેહા ઉપરાંત બંને જજ હિમેશ રેશમિયા અને વિશાલ દદલાનીએ પણ આ અવસરે ખુશી વ્યકત કરી હતી.