ફિલ્મ જગત
News of Wednesday, 15th January 2020

વિક્રમ બત્રાના પાત્ર માટે સિધ્ધાર્થની ત્રણ વર્ષ મહેનત

અભિનેતા સિધ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં આવતા રહે છે. આ બંને એક ફિલ્મ સાથે કરી રહ્યા રહ્યા છે. 'શેરશાહ'નામની આ ફિલ્મનું શુટીંગ બંનેએ પુરૂ કરી લીધું છે. ફિલ્મમાં સિધ્ધાર્થ ઇન્ડિયન આર્મી ઓફિસર બન્યો છે. કેપ્ટન વિક્રમ બત્રાની જિંદગી પર આ ફિલ્મ આધારી છે. ધર્મા પ્રોડકશન્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસ્વીરો મુકવામાં આવી છે. જેમાં ફિલ્મનું શુટીંગ ખતમ થઇ ગયાની ઘોષણા કરવામાં આવી છે. પોસ્ટમાં લખાયું છે કે-શેરશાહનું શુટીંગ પુરૂ. સાહસ અને બહાદુરીના તમામ રંગો મોટા પરદા પર આવવા માટે તૈયાર છે. સિધ્ધાર્થ પણ તેમાં પોઝ આપતો દેખાયો છે. સિધ્ધાર્થ મરજાવાંની સફળતાથી પ્રોત્સાહિત છે. હવે તે નવી ફિલ્મનું પ્રમોશન કરશે. આ બાયોપિક માટે તેણે ત્રણ વર્ષ સુધી મહેનત કરી છે. સિધ્ધાર્થ પોતે વિક્રમ બત્રાના પરિવારજનોને અનેક વખત મળ્યો હતો. બત્રા પરિવારે જ આ રોલ માટે સિધ્ધાર્થનું નામ સુચવ્યું હતું. સાથે કિયારા, જાવેદ જાફરી, પરેશ રાવલ, હિમાંશુ મલ્હોત્રા પણ છે. ફિલ્મનું શુટીંગ ચંડીગઢ, પાલમપુર, કાશ્મીર અને લદ્દાખમાં થયું

(9:58 am IST)