આ કારણોસર દીપિકા નહીં બદલે તેની સરનેમ
મુંબઈ: મુંબઈ:એ સમયે કરોડો પ્રશંસકોના દિલ તૂટ્યા હતા જ્યારે સમાચાર મળ્યા હતા કે પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઈ રહી છે દીપિકા. રણવીર અને દીપિકા 5 વર્ષથી એકબીજાની સાથે રિલેશનમાં હતા. નવેમ્બર 2018માં તેઓએ લગ્ન કરી લીધા હતા અને હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા. રણવીર દીપિકા લગ્નમાટે હામી ભરે તેની રાહ જોઈ રહ્યો હતો. જેવી દીપિકા તરફથી હા સાંભળવા મળી કોઈની પણ રાહ જોયા વીની રણવીરે દીપિકા સાથે ખુબજ ધામધુમથી લગ્ન કરી લીધા. સામાન્ય રીતે કોઈ પણ યુવતી લગ્ન કરે તો આપણી ભારતીય પરંપરા છે કે તે તેના પતિની સરનેમ ધારણ કરે છે આવુ એટલે પણ કરે છે કેમકે આવું કરવાથી તે તેની દરેક સંપત્તિની હકદાર બને છે. સાથે સાથે એવો પણ ટ્રેન્ડ છે કે જો મહિલા ઈચ્છે તો તે પોતાની બે સરનેમ રાખી શકે છે. હવે રણવીર સાથે લગ્ન કરી દીપિકાને જ્યારે પુછવામાં આવ્યુ કે તે પોતાની સરનેમ બદલશે કે કેમ? ત્યારે દીપિકાએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ હતુ કે રણવીર ખુબજ સમજદાર છે અને તે તની વાતને સમજી શકે છે. નામ કે સરનેમ બદલવા પાછળ એવુ લાગે જાણેકે તેના અસ્તિત્વને બદલી નાખવું આવુ તે ક્યારેય નહી કરે. જો કે લગ્ન પછી રણવીર અને દીપિકા તેમની સફળતાનું રહસ્ય જણાવી રહ્યા છે. દીપિકા હંમેશા કહે છે કે તે લોકોએ આ સફળતા મેળવવા ખુબજ મહેનત કરી છે. રણવીર તેના કામને લઈને ખુબજ ગંભીર છે. તેની દરેક ફિલ્મમાં તે પોતાના પાત્ર સાથે એવો જોડાઈ જાય છે કે દર્શકોને લાગે કે જાણે તે કોઈ ખરા કેરેક્ટરને મળી રહ્યા છે. આ માટે તે ખુબજ મહેનત કરે છે. આ બંને દંપતિ ખુબજ મહેનત કરી રહ્યા છે. સફળતા મેળવવા ખુબજ મહેનત જરૂરી છે.રણવીરે કહ્યુ કે કોઈ પણ સંબંધને નિભાવવા માટે ખાસ એક પતિ તરીકે હવે તેની ભૂમિકા બદલાઈ જશે. આ પહેલા તે દીપિકાનો એક ખુબજ સારો મિત્ર હવે તેને એક નવા નામ સાથે સ્વીકારવામાં આવી રહી છે.