ફિલ્મ જગત
News of Tuesday, 14th May 2019

સેટ પર કંઇપણ બને તો મારા પર શંકા થાય છેઃ અજય

ગંભીર અભિનેતાની છાપ ધરાવતો અજય દેવગણ ફિલ્મના શુટીંગ વખતે સેટ પર ગમે તેની સાથે મજાક કરવા માટે જાણીતો છે. જો કે હવે તેણે આવી મજાક કરવાનું બંધ કરી દીધું છે. ફિલ્મ દે દે પ્યાર દેના પ્રમોશન માટે તાજેતરમાં અજય, તબ્બુ અને રકુલ પ્રિતસિંહ ટીવી શો સારેગામાપા લિટિલ ચેમ્પ્સના સેટ પર પહોંચ્યા હતાં. અહિ અજયએ કહ્યું હતું કે હવે મેં લોકો સાથે મજાક કરવાનું બંધ કરી દીધુ છે. આમ છતાં લોકો મારી પાસે આવી જ કંઇક આશા રાખે છે. હું કંઇ નથી કરતો છતાં સેટ પર કંઇપણ ખોટુ થાય તો તરત જ તમામ કલાકારો અને યુનિટ મેમ્બર્સ મારા ઉપર જ શંકા કરવા માંડે છે. સંગીતકાર અમાલે પણ પોતાની સાથે અજયએ કરેલી મજાકનો કિસ્સો જણાવ્યો હતો. અજયએ નાનકડા પહાડ પરથી કોઇપણ જાતના નુકસાન વગર નીચે પટકાનારી કારમાં તેને બેસાડી દીધો હતો. અજયની દે દે પ્યાર દે ફિલ્મ ૧૭મી મેના રોજ આવી રહી છે.

(10:12 am IST)