ફિલ્મ જગત
News of Wednesday, 14th March 2018

રાકેશ શર્માની બાયોપિક માટે શાહરુખ ખાન 100 દિવસ મહેનત કરશે

મુંબઇ: બોલિવૂડના બેતાજ બાદશાહ અભિનેતા ફિલ્મ સર્જક અવકાશવીર રાકેશ શર્માની બાયો-ફિલ્મ સેલ્યુટના પોતાના પાત્રની તૈયારી માટે ૧૦૦ દિવસ ફાળવશે એવા સમાચારથી ઘણા કલાકારો રમૂજ અનુભવી રહ્યા હતા. આમ થવાનું કારણ સ્પષ્ટ હતું. આમિર ખાને તારીખોના પ્રોબ્લેમને કારણે ફિલ્મ છોડતી વખતે સામેથી શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું. આ વાત મિડિયામા ંપ્રગટ થયા બાદ ગોસિપ કૉલમિસ્ટો કામે લાગી ગયા હતા. સૌથી વધુ રમૂજી વાત એ છે શાહરુખે હજુ આ ફિલ્મ સાઇન પણ કરી નથી ત્યાં તો એવી વાતોે વહેતી થઇ કે એ પૂર્વતૈયારી માટે ૧૦૦ દિવસ ફાળવશે.  હકીકતમાં આમિર ખાને આ ફિલ્મ છોડી દીધા પછી એના સર્જકો સતત ટેન્શનમાં રહ્યા હતા કે આમિરનો વિકલ્પ બની શકે એવો બીજો કલાકાર ક્યાંથી કાઢવો ? આમિર ઠગ્સ ઑફ હિન્દુસ્તાન પૂરી થયા બાદ મહાભારત ટ્રિલોજી બનાવવા માગે છે અને એ ૫૦૦ કરોડથી વધુ બજેટ ધરાવતી મેગાફિલ્મ સિરિઝ હશે એમ કહેવાય છે. બીજી બાજુ સેલ્યુટ આસાન ફિલ્મ નથી.  ઝીરો ગ્રેવિટી (ગુરુત્ત્વાકર્ષણ વગરના શૂન્યાવકાશ)ની ગતિવિધિ સમજવી પડે. જો કે અગાઉ શાહરુખ સ્વદેશ ફિલ્મ વખતે અમેરિકાની નાસા સંસ્થામાં જઇ આવ્યો હતો એટલે એ કેટલીક વાતો સમજે છે અને જરૃર પડયે ફરી નાસાની મુલાકાત લેવા પણ તૈયાર છે.

(5:28 pm IST)