ફિલ્મ જગત
News of Wednesday, 13th November 2019

અક્ષરકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે કેમ થયો ઝઘડો?

મુંબઈ,તા.૧૩: અક્ષયકુમાર અને રોહિત શેટ્ટી વચ્ચે હાલમાં ફાઈટિંગ થઈ છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર અક્ષયકુમાર દ્વારા શેર કરવામાં આવ્યો છે. જોકે આ વિડિયોમાં તેઓ સાચે ફાઇટ નથી કરી રહ્યાં. રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી'માં અક્ષયકુમાર અને કેટરિના કૈફ કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. અક્ષયકુમાર અને રોહિતની વચ્ચે ઝદ્યડો થયો છે અને પ્રોડ્યુસર કરણ જોહર મધયસ્થી બની સુલેહ કરાવી હોવાની ચર્ચા ચાલી છે. જોકે આ વાતને ફગાવતા રોહિત અને અક્ષષે એક વિડિયો શૈર કરવાનું નક્કી કર્યું છે. આ વિડિયોની શરૂઆતમાં કેટરિના કૈપ દેખાઈ રહી છે જે તેમની વચ્ચે ફાઇટ થઈ હોય એવા સમાચાર દેખાડી રહી છે. ત્યાર બાદ અક્ષયકુમાર અને રોહિત એક બીજાને મસ્તીમાં પંચ મારી રહ્યા છે. બન્ને સતત કહી રહ્યા છે કે એવા સમાચાર ચાલી રહ્યાં છે કે તેમની વચ્ચે ઝદ્યડો થયો છે અને એથી તેમણે ફાઈટેંગ કરવી જરૂરી છે. છેવટે તે બન્નેને અટકાવવા માટે સેટ પર પોલીસ બનેલા કલાકારો આવે છે. વિડિયોનાં અંતે બન્ને ફોલ-આઉટ કહીને ઢળી પડે છે. આ વિડિયો ટ્વિટર પર શેર કરીને અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'બ્રેકિંગ ન્યૂઝ. એક એવો ઝદ્યડો જે તમારો દિવસ બનાવી દેશે.'(૨૨.૭)

(11:48 am IST)