અક્ષય સાથે ફરી ફિલ્મ બનાવશે શ્રીનારાયણસિંહ
શ્રીનારાયણ સિંહ અને અક્ષય કુમારે મળીને ટોયલેટ-એક પ્રેમકથા જેવી સુપરહિટ ફિલ્મ આપી છે. આ જોડી ફરીથી સાથે કામ કરવા તૈયાર થઇ છે. ટોયલેટ...એક પ્રેમ કથા ફિલ્મ થકી અક્ષયની સાથોસાથ શ્રીનારાયણના દર્શકો પણ વધી ગયા હતાં. હાલમાં શ્રીનારાયણસિંહ બત્તી ગુલ મીટર ચાલુ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં શાહિદ કપૂર અને શ્રધ્ધા કપૂરની મુખ્ય જોડી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઇ ગયું છે. હવે ફરીથી શ્રીનારાયણે અક્ષયને લઇને ફિલ્મ બનાવવાનું નક્કી કર્યુ છે. તેણે કહ્યું હતું કે તે ફરીથી અક્ષય કુમાર સાથે ફિલ્મ બનાવવા ખુબ ઉત્સુક છે. આ માટે હાલમાં કહાની નથી, પણ ઝડપથી કહાની તૈયાર થતાં કામ શરૂ થશે. તેણે કહ્યું હતું કે અક્ષયની યાદ આવતાં જ હું તેને મેસેજ કરી દઉ છું. તે જવાબ પણ તરુતર જ આપે છે અને નજીકમાં હોય તો હું રૂબરૂ મળવા પણ જાઉ છું.