ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

જ્હાન્વી કપૂર ત્રીજી ફિલ્મમાં પાયલોટ બને તેવી શકયતા

અભિનેત્રી જ્હાન્વી કપૂર હવે રૂપેરી પરદે પાયલોટ ગુંજન સકશેનાનો રોલ નિભાવવા તૈયાર છે. બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાન્વીની ફિલ્મ ધડક રિલીઝ થઇ ગયા પછી હવે તે નવા પ્રોજેકટ હાથમાં લઇ રહી છે. ધડકમાં તેના અભિનયને વખાણાયો છે. જ્હાન્વીએ કરણ જોહરની બીજી ફિલ્મ પણ સાઇન કરી લીધી છે. હવે ત્રીજી ફિલ્મ પણ તેને ઓફર થઇ રહી છે. જેમાં તે પાયલોટનો રોલ નિભાવશે. ગુંજન ઇન્ડિયન એરફોર્સની પહેલી મહિલા ચોપર પાયલોટ હતી. તેણે કારગીલ યુધ્ધ વખતે પોતાની વીરતાનો પરિચય આપી અનેક સૈનિકોના જીવ બચાવ્યા હતાં. તેના ચોપર ઉપર પણ દુશ્મનોએ હુમલો કર્યો હતો. જો કે હજુ આ બાબતે કોઇ ચોક્કસ ઘોષણા થઇ નથી. પણ જ્હાન્વી અને ગુંજનની તસ્વીર વાયરલ થતાં ફિલ્મ બની રહ્યાની વધુ ચર્ચા થઇ રહી છે.

 

(9:46 am IST)