પાર્થ-અનુરાગને કોરોના પોઝિટિવઃ છતાં 'કસોટી જિંદગી કે'ના નવા એપિસોડ આજથી જ શરૂ થશે
મુંબઇ તા. ૧૩: એકતા કપૂરના શો 'કસોટી જિંદગી કે'માં મુખ્ય રોલ નિભાવી રહેલા અભિનેતા ર્પાથ સમથાનને કોરોના પોઝિટિવ આવતાં સિરીયલનું શુટીંગ બંધ કરવું પડ્યું છે. આ શોના નવા એપિસોડ આજ ૧૩મીથી જ શરૂ થવા જઇ રહ્યા છે. ત્યારે પાર્થને કોરોના આવતાં શુટીંગ બંધ કરવું પડ્યું છે અને સેટને સિલ કરી દેવામાં આવ્યો છે.
સ્ટાર પ્લસે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. પાર્થ સમથાનની હાલની સ્વાસ્થ્ય સ્થિતિને કારણે અમે કસોટી જિંદગી કે શોના નવા એપિસોડ આજે સાંજે આઠ વાગ્યે રિલીઝ કરી શકશું નહિ. જો કે હવે એવી જાહેરાત કરવામાં આવી છે કે આજથી જ નવા શોનું પ્રસારણ થશે. ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીએ પણ કોરનોા ટેસ્ટ કરાવ્યો હતો. તે પાર્થ એટલે કે શોના પાત્ર અનુરાગની બહેન નિવેદીતાનો રોલ નિભાવી રહી છે. પૂજાએ ઇંસ્ટાગ્રામ પર માહિતી આપી હતી. પાર્થએ લખ્યું હતું કે મને હળવા લક્ષણો હોવાથી ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું અરજ કરુ છું કે મારા સંપર્કમાં છેલ્લા કેટલાક દિવસમાં જે કોઇ આવ્યા છે તેણે રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે. ડોકટર્સની ગાઇડ લાઇન અને બીએમસીના માર્ગદર્શન મુજબ હું સેલ્ફ કવોરન્ટાઇન થયો છું. બધાના સહયોગનો હું આભારી છું.