ટીવી સ્ટાર રણદીપ રાયને હવે કરવું છે વેબ સિરીઝમાં કામ
ટીવી શો 'યે ઉન દિનો કી બાત હૈ'ના અભિનેતા રણદીપ રાયનું કહેવું છે કે તે હવે વેબ સિરીઝમાં કામ કરવા ઇચ્છે છે. ટીવી પરદા પર જાણીતા બની ગયેલા રણદીપને બોલીવૂડમાં પણ પહેલી ફિલ્મ 'સરોજ કા રિશ્તા' મળી ૃગઇ છે. આ યુવા અભિનેતાની નજર હવે વેબ સિરીઝ પર છે. રણદીપ કહે છે ફિલ્મોના અન્ય પ્રોજેકટ માટે પણ મારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પણ હું કામ પ્રત્યે સમર્પણ ભાવના રાખી એક સમયે એક જ પ્રોજેકટ હાથ પર રાખવા ઇચ્છુ છું. હવે ટીવી શો પછી હું વેબ સિરીઝ અને ફિલ્મોમાં કામ કરવા વધુ ઇચ્છા ધરાવું છું. પરંતુ કોઇપણ કામ હોય તેમાં મારી સો ટકા મહેનત આપવા ઇચ્છુ છું. હાલમાં હું મારા શો 'યે ઉન દિનો કી બાત હૈ' માટે ખુબ મહેનત કરી રહ્યો છું. તાજેતરમાં આ અભિનેતા પોતાનો જન્મદિવસ ઉજવવા વતન ઝાંસી ગયો હતો. તે તેનો જન્મદિવસ હમેંશા પોતાના પરિવારજનો સાથે ઉજવે છે.