શ્રીરામ રાઘવન સાથે આગામી ફિલ્મમાં કામ કરશે વરુણ ધવન
મુંબઇ: શ્રીરામ રાઘવને પોતાની આગામી ફિલ્મ માટે વરુણ ધવનનો સંપર્ક કર્યો છે. આ ફિલ્મમાં તે સૈન્યના સૌથીનાના યુવાનની ભૂમિકામાં જોવા મળશે. વરુણ ધવનને અરુણ ખેતરપાલની ભૂમિકા ઓફર કરવામાં આવી છે. અરુણ ખેતરપાલ, પરમવીર ચક્રથી સમ્માનિત થયેલ સેનાનો સૌથી વધુ નાની વયનો જવાન હતો. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અરુણ શહીદ થઇ ગયો હતો. આ ફિલ્મને મૈડોક ફિલ્મસના દિનેશ વિઝાન નિર્માણ કરી રહ્યો છે. તેથી જ હાલ અરુણ દિનેશ વિઝાનની આફિસ પાસે દેખાયો હતો. ત્યારે એવી અફવા ચગી હતી કે, વરુણ ફિલ્મ 'સ્ત્રી ટુ'માં રાજકુમાર રાવને રિપ્લેસ કરવાનો છે. પરંતુ સાચી વાત તો શ્રીરામ રાઘવના આ પ્રોત્ક્ટ સાથેની હતી. વરુણ ધવન મોટા ભાગે રોમાન્સ, ડાન્સ અનેકોમેડી કરતો જોવા મળ્યો છે. પરંતુ હવે તે સીરિયસ ફિલ્મો,પિરીયડ ડ્રામામાં પણ હાથઅજમાવી રહ્યો છે. તેમજ આવનારી ફિલ્મમાં તે બોર્ડર પરના સૈન્યના જવાન તરીકે જોવા મળશે.