રોમિયો અકબર વોલ્ટરમાં સુશાંતસિંહ રાજપૂતના બદલે જોન
સુશાંતસિંહ રાજપૂત ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર' નામની ફિલ્મ કરવાનો છે તેવી ચર્ચા ગયા વર્ષે થઇ હતી. પણ હવે એક પોસ્ટર રિલીઝ થયું છે જેના પરથી એ સ્પષ્ટ થયું છે કે આ ફિલ્મ હવે સુશાંતને બદલે જોન અબ્રાહમ કરી રહ્યો છે. જોને સોશિયલ મિડીયા પર પોસ્ટર રિલીઝ કર્યુ હતું. આ ફિલ્મ રોબી ગ્રેવાલ નિર્દેશીત કરી રહ્યા છે. અજય કપૂર, ધીરજ વાધવાન, વૈનેસા વાલિયા, ગેરી ગ્રેવાલ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. ફિલ્મનું શુટીંગ નેપાળ, ગુજરાત, શ્રીનગર, દિલ્હીમાં થશે અને સાંઇઠ જ દિવસના શેડ્યુલમાં આ ફિલ્મ પુરી કરી લેવામાં આવશે. ફિલ્મનું શુટીંગ ૧ જુનથી શરૂ થશે. સુશાંતસિંહ હાલમાં 'ચંદામામા દૂર કે' ફિલ્મના શુટીંગમાં વ્યસ્ત હોવાથી તની જગ્યાએ જોનને આ ફિલ્મ આપી દેવામાં આવી હતી. નિર્માતાએ તેનો સંપર્ક કરતાં તેણે હા કહી હતી. જોનની ફિલ્મ 'પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ' પણ આવી રહી છે.