મને ખબર છે કે અભિનેતા તરીકે મારી એક સીમા છેઃ અજય દેવગણ
બોલીવૂડના સિંઘમ અજય દેવગણની તાન્હાજી-ધ અનસંગ વોરિયર રિલીઝ થઇ ચુકી છે. અજય બોલીવૂડ ઇન્ડ્રસ્ટ્રીમાં ત્રણ દસકાથી કામ કરી રહ્યો છે. તેણે એકશન, કોમેડી, રોમાન્ટીક એમ દરેક જોનરમાં જબરદસ્ત કામ કર્યુ છે અને કરોડો ચાહકો ઉભા કર્યા છે. ટોચના અભિનેતાઓમાં સામેલ એવા અજયની તાન્હાજી ૧૦૦મી ફિલ્મ છે. તાજેતરમાં અજયએ એવી વાત કહી હતી જે તેના ચાહકોને આંચકો આપે તેવી છે. અજયએ કહ્યું હતું કે હાલમાં મેં અભિનેતા અને ફિલ્મ નિર્માતા તરીકે એમ બંને લેવલે કામ ચાલુ રાખ્યું છે. પણ એક સમય આવશે જ્યારે મારું અભિનેતા તરીકેનું કામ પુરૂ થઇ જશે. મને ખબર છે કે અભિનેતા તરીકે મારી એક સીમા છે. અમુક વર્ષો પછી હું મુખ્ય અભિેનતા નહિ રહું અને મને પણ કેરેકટર રોલ્સ મળતાં થઇ જશે. એવા સમયે હું મારું સંપુર્ણ ધ્યાન નિર્માતા તરીકે કેન્દ્રીત કરીશ. અજયએ સ્વીકાર્યુ હતું કે લાઇમ લાઇટનો નશો દરેક પર હોય છે, પણ તેને પકડી રાખવાનું શકય નથી. આથી મને કોઇ કાઢી મુકે એ પહેલા હું જાતે જ બહાર જતો રહીશ.