ફિલ્મ જગત
News of Wednesday, 12th December 2018

યે રિશ્યા ક્યા કહલાતા હૈ સિરીયલના અભિનેતા અનમોલઅે હરિયાણાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી

‘યે રિશ્તા ક્યા કહલા હૈ’ના એક્ટર કરણ પાહવા (શોમાં અનમોલનું કેરેક્ટર ભજવનારો) એ 9 ડિસેમ્બરે સગાઈ કરી લીધી છે. આ કાર્યક્રમમાં તેણે ખૂબ ભવ્ય આયોજન કર્યું હતું.

10 વર્ષ સુધી સુપ્રિયાને ડેટ કરી

એક્ટરે આ ન્યૂઝને કન્ફર્મ કરતા પોતાની સગાઈની કેટલીક તસવીરો શેર કરી. કરણે હરિયાણાના સોનીપતની પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી છે, જણાવી દઈએ કે, સુપ્રિયાનું ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે કોઈ કનેક્શન નથી. કરણ અને સુપ્રિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને હવે તેણે પોતાના આ સંબંધને આગામી લેવલ પર લઈ જવાનો નિર્ણય લીધો છે.

‘અમારી જોડી ઉપરથી જ નક્કી થઈ છે’

વાતચીતમાં કરણે જણાવ્યું કે, ‘એ હકીકત છે કે, લગ્ન માટે બધું ઉપરથી જ નક્કી થાય છે અને મારા કેસમાં પણ આવું થયું છે. અમારી પહેલી મુલાકાત ડાન્સ ક્લાસમાં થઈ હતી. અમારી લવ-સ્ટોરી પૂરી રીતે ફિલ્મી છે.’

કેવી રહી અત્યાર સુધીની સફર

‘પહેલા અમે ફ્રેન્ડ બન્યા અને ધીમે-ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અમારા સંબંધમાં ખૂબ ઊંચ-નીચ પણ આવી. અમે લૉંગ-ડિસ્ટન્સ રિલેશનમાં હતા, કારણ કે, મારે એક્ટિંગના કારણે મુંબઈ આવવું પડ્યું હતું. સુપ્રિયા હંમેશા મારી સાથે એક મજબૂત પિલરની જેમ ઊભી રહી.’ તેણે કહ્યું કે, તે પોતાની જિંદગીમાં સુપ્રિયાને મેળવીને ખુદને ખૂબ નસીબદાર માને છે.

(6:15 pm IST)