ફિલ્મ જગત
News of Tuesday, 12th November 2019

સંતાનો માટે થઇને તનાઝ છોડી રહી છે ટીવી શો

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી તનાઝે  અઢળક સિરિયલો તથા ફિલ્મોમાં કામ કર્યુ છે. હાલમાં તનાઝ ઈરાની સ્ટાર પ્લસ પર ચાલી રહેલા શો 'કહાં હમ કહાં તુમ'માં  નિશી સિપ્પીનું પાત્ર ભજવી રહી છે. કરણ ગ્રોવર અને દીપિકા કક્કડને મુખ્ય રોલમાં ચમકાવતી આ સિરિયલમાં તનાઝનું પાત્ર પણ મહત્ત્વનું છે. તે આ સિરિયલનું મુખ્ય નેગેટિવ પાત્ર તે ભજવી રહી છે. ત્યાં હવે વાવડ આવ્યા છે કે તનાઝ આ શો છોડી રહી છે. ૯૦ના દાયકામાં આવતી ઝબાન સંભાલ કે સિરિયલ દ્વારા જાણીતી થયેલી તનાઝ તેનાં સંતાનો માટે આ સિરિયલછોડી રહી છે. તેણે કહ્યું કે જયારે હું બીજી વખત માતા બની ત્યારે મેં ટીવીમાંથી લાંબી રજા લીધી હતી. ત્યાર પછી મને 'કહાં હમ કહાં તુમ'ની ઓફર થઈ. મને થયું કે હું કામ અને ઘર બંને સંભાળી  શકીશ. પણ હવે મને લાગે છે કે મારાં બાળકો મને યાદ કરી રહ્યાં છે, અને તેમને મારી જરૂર છે. તનાઝે શોના નિર્માતા સાથે વાત કરી છે અને તેઓ નિશી સિપ્પીના પાત્ર માટે બીજી અભિનેત્રી શોધી રહ્યા છે. તનાઝે કહ્યું કે મને આ શો બહુ જ ગમે છે અને હું  નિશીના પાત્રને મિસ કરીશ, પણ આખરે માતૃત્વ જીત્યું છે.

(10:03 am IST)