આવતા વર્ષે અક્ષયની ઇચ્છા થશે પુરી
અક્ષય કુમારની ફિલ્મ રાઉડી રાઠોડ બધા દર્શકોને ગમી હતી. ૨૦૧૨માં આવેલી ફિલ્મ તે વખતે સુપરહિટ નિવડી હતી. બોકસ ઓફિસ પર કમાણી પણ જોરદાર કરી હતી. પ્રભુદેવા એ ફિલ્મના નિર્દેશક હતાં અને સંજય લીલા ભણશાલી નિર્માતા. હવે અક્ષય અને ભણશાલીની જોડી ફરીથી સાથે આવી રહ્યાની ચર્ચા છે. આ બંને રાઉડી રાઠોડ-૨ બનાવવાનું પ્લાનીંગ કરી રહ્યા છે. સિકવલનો વિચાર ઘણા સમયથી હતો. પણ અક્ષયના વ્યસ્ત શેડ્યુલને કારણે ભણશાલી એવું જ કહેતા આવ્યા છે કે અક્ષય પાસે સમય નથી. અક્ષયએ પણ પેડમેન ફિલ્મના પ્રમોશન વખતે સિકવલ વિશે પુછાતાં રાઉડી રાઠોડ-૨ બને તેવી ઇચ્છા દર્શાવી હતી. અક્ષયની આ ઇચ્છા હવે પુરી થશે. રાઉડી રાઠોડ-૨નું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. હિરોઇન અને બીજા કલાકારો હવે નક્કી થશે. હાલમાં અક્ષય પાંચ ફિલ્મોના શુટીંગમાં વ્યસ્ત છે.