ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

એક્શન ફિલ્મોના લેખક રવિ શંકર આલોકે કર્યો આપઘાત

મુંબઇ : અભિનેતા નાના પાટેકરને એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ પોલીસ અધિકારી તરીકે ચમકાવતી ફિલ્મ અબ તક છપ્પન જેવી એક્શન ફિલ્મોના લેખક રવિ શંકર આલોકે બુધવારે બપોરે અંધેરી ખાતેના પોતાના મકાનના ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કર્યાની માહિતી મળી હતી. મરનાર રવિ માત્ર ૩૨ વર્ષનો હતો. વરસોવા પોલીસે સમાચારને સમર્થન આપતાં જણાવ્યું હતું કે રવિ પાસેથી કે એના ઘરમાંથી આપઘાત કરી રહ્યો હોવાની કોઇ ચિઠ્ઠી મળી નહોતી. પરંતુ ઘટના દેખીતી રીતેજ આપઘાતની છે. રવિની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે રવિ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેસનનો ભોગ બન્યો હતો અને એની મનોચિકિત્સાની સારવાર ચાલી રહી હતી. આટલી નાની વયના લેખકે કરેલા આપઘાતથી બોલિવૂડમાં સન્નાટો છવાઇ ગયો હતો.

(4:49 pm IST)