ટીવી પરદે મિસ્ટર બજાજના રોલમાં કરણસિંહ ગ્રોવર
ટીવી શો કસોૈટી જિંદગી કી-૨માં નવા ટ્વિસ્ટ સાથે મિસ્ટર બજાજની એન્ટ્રી થઇ રહી છે. કોમોલિકાના ગયા પછી બજાજની એન્ટ્રી થવાની છે. એકતા કપૂરે સદાબહાર પાત્ર માટે ટીવી પરદાના ખુબ જાણીતા અભિનેતા કરણસિંહ ગ્રોવરને સાઇન કર્યો છે. કરણે પોતાના ભાગનું શુટીંગ શરૂ કરી દીધું છે. મિસ્ટર બજાજના રોલ માટે કરણના લૂકને તાજેતરમાં રિલીઝ કરાયો હતો. આ લૂક દર્શકોને ગમ્યો છે. કરણસિંહની પત્નિ બિપાશા બાસુએ પણ તેના આ લૂકને વખાણ્યો છે. બિપાશાએ તેની તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મિસ્ટર બજાજના રૂપમાં નવી સફર માટે ઓલ ધ બેસ્ટ. તેણે લખ્યું હતું કે આવા લૂકમાં બહુ ઓછા લોકો જમવાટ કરી શકે છે. મારો હબ્બી હોટ છે એ મને પહેલેથી જ ખબર હતી. કસોૈટી જિંદગી કીની પહેલી સિઝનમાં પણ કરણે રોલ નિભાવ્યો હતો.