અક્ષયની તારીખ ન મળતાં અજય સાથે કામ કરશે ઇન્દ્ર
અજય દેવગણ હાલમાં તાનાજી-ધ અનસંગ હીરો નામની ફિલ્મના કામમાં વ્યસ્ત છે.હવે તેને લઇને નિર્દેશક ઇન્દ્ર કુમાર એકશન કોમડી બનાવશે. હેરાફેરી-૩નું કામ નિર્માતાઓએ ઇન્દ્ર કુમારને સોંપ્યું છે. ઇન્દ્ર આ વર્ષે જ આ ફિલ્મનું શુટીંગ શરૂ કરી દેવાના હતાં. પરંતુ અક્ષય કુમારની તારીખો મેચ ન થતાં હવે આ ફિલ્મનું શુટીંગ આવતા વર્ષે શરૂ થશે. હેરાફેરી-૩નું કામ પાછળ ઠેલાઇ જતાં તેનો ફાયદો ઉઠાવી ઇન્દ્ર કુમાર અજય દેવગણને લઇને નવી ફિલ્મ બનાવશે. પહેલા તો ટોટલ ધમાલની સિકવલ બનાવવાની વિચારણા હતી. પરંતુ હવે નવી ફિલ્મ શરૂ કરાશે, જે એકશન કોમેડી હશે. અજય તેની ફિલ્મ તાનાજી-ધ અનસંગ હીરોના શુટીંગમાં વ્યસ્ત છે. તેમજ સૈયદ અબ્દુલ રહીમ નામના ફૂટબોલરની જિંદગી પરની ફિલ્મ પણ કરી રહ્યો છે. દે દે પ્યાર દે ફિલ્મની પબ્લીસીટીનું કામ શરૂ કરી દીધું છે. તેમાંથી સમય કાઢી તે ઇન્દ્ર કુમાર સાથે કામ કરશે. બીજી તરફ અક્ષય પાસે હાલમાં મિશન મંગલ, ગુડ ન્યુઝ, સૂર્યવંશી જેવી ફિલ્મો છે.