ઓછી ફી મળી રહ્યાનું દર્દ મજાકમાં કહી દીધું અર્ચનાએ
ટીવી પરદે કપિલ શર્માનો શો ખુબ ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં કપિલના શોમાં મોૈની રોય અને ભોજપુરી કલાકારોએ હાજરી આપી હતી. કપિલ અને તેની ટીમ દર્શકોને હસાવવામાં સતત સફળ સાબિત થઇ રહ્યા છે. જો કે આ શોમાં નવજોતસિંઘ સિધ્ધુની જગ્યાએ આવેલી અર્ચના પુરણસિંહ હાલમાં દુઃખી છે. તેની પાછળનું કારણ છે તેને આપવામાં આવી રહેલી ફી. અર્ચનાએ પોતાને મળતી ફી બાબતે એવી કોમેન્ટ કરી હતી કે તેમાં નવજોત પણ ચપેટમાં આવી ગયા હતાં. અર્ચનાને જ્યારે પુછાયુ હતું કે તે આ શોમાં શું બનવા ઇચ્છશે? તો તેણે તરત જવાબ આપ્યો હતો કે તે નવજોતસિંઘ સિધ્ધુ બનવા ઇચ્છે છે! કારણ કે તેને ફી વધુ મળતી હતી. અર્ચનાએ મજાકમાં પણ પોતાને ઓછી ફી મળતી હોવાનું દુઃખ છલકાવી દીધું હતું. આ શોમાં સિધ્ધુના કમબેક બાબતે કપિલે કહ્યું હતું કે હાલમાં તે ચૂંટણીના કામમાં વ્યસ્ત છે. હાલમાં તો તેના કમબેકની કોઇ આશા નથી.