'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાએ છોડયો શો?
હવે નહીં જોવા મળે દયાભાભી
મુંબઇ તા. ૧૨ : નાના પડદાના પોપ્યુલર શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવનારી એકટ્રેસ દિશા વાકાણી ટૂંક સમયમાં શો છોડવાની છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, દિશા પ્રેગ્નેન્સી દરમિયાન શો છોડી રહી હોવાના ન્યૂઝ સામે આવ્યા હતા પરંતુ બાદમાં શોના નિર્માતાઓએ માર્ચમાં દિશા કમબેક કરશે તેવી વાત કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા છેલ્લા ઘણા મહિનાઓથી મેનિટનિટીને કારણે શોમાંથી ગાયબ છે. તેણે ગત વર્ષે સપ્ટેમ્બરમાં શો માટે છેલ્લીવાર શૂટ કર્યું હતું. અત્યારે દિશા પોતાની પર્સનલ લાઈફમાં બિઝી છે, તે હવે પોતાના બાળકને સમય આપવા માગે છે અને આ કારણે જ હવે શોમાં તેનું કમબેક થવું મુશ્કેલ છે. જણાવી દઈએ કે, દિશાએ ૨૦૧૫માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પાડિયા સાથે લગ્ન કર્યા હતા, દિશાએ નવેમ્બરમાં એક પુત્રીને જન્મ આપ્યો છે. 'તારક મહેતા...'ના મેકર્સ દિશાના સ્થાને નવો ચહેરો શોધી રહ્યાં હોવાની ચર્ચા છે.
ઉલ્લેખનીય છે કે, દિશા 'તારક મહેતા'માં જેઠાલાલ એટલે દિલીપ જોશીની પત્નીનો રોલ ભજવે છે. તેનું પાત્ર દર્શકોમાં ખૂબ જ ફેમસ છે. ખાસ કરીને તેની ડાયલોગ ડિલીવરી ખૂબ જ અનોખી છે.