ફિલ્મ જગત
News of Monday, 12th February 2018

ટીવી સીરીયલ મહાભારતનો યુધિષ્ઠિર હવે રાક્ષસ દંભાસુરનું પાત્ર નિભાવશે

સોની ચેનલની સીરીયલ 'વિઘ્નહર્તા ગણેશ' માં દંભાસુરની ભૂમિકા કરશે.

 

મુંબઈ :ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યુટ' (એપટીઆઈઆઈ) નાં પૂર્વ અધ્યક્ષ અને અભિનેતા ગજેન્દ્ર ચૌહાન ટીવી સિરિયલ મહાભારતમાં યુધિષ્ઠિરનું પાત્ર ભજવ્યા બાદ હવે ટીવી પડદે રાક્ષસની ભૂમિકામાં જોવા મળશે.બી.આર.ચોપરાની ઐતિહાસિક  મહાભારતમાં યુધિષ્ઠિરની ભૂમિકાથી લોકપ્રિય થયેલાં ગજેન્દ્ર ચૌહાન સોની ચેનલની સીરીયલ 'વિઘ્નહર્તા ગણેશ' માં દંભાસુરની ભૂમિકા કરશે.

  અભિનેતા ગજેન્દ્ર ચૌહાને કહ્યું કે તે દેત્યોંના રાજા દંભાસુરનું પાત્ર નિભાવશે, જે કૈલાશ પર સ્થિત ભગવાન શિવની જગ્યા પર કબજો કરવા માંગે છે. પહેલાં પણ તેમણે 100 થી વધારે પૌરાણીક ધારાવાહિકમાં કામ કર્યુ છે, પરંતુ પહેલી વાર તે રાક્ષસનાં અવતારમાં જોવા મળશે.

(10:10 pm IST)