ફિલ્મ જગત
News of Monday, 12th February 2018

સારાએ સાત ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી

 સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાન બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. કેદારનાથ ફિલ્મમાં તેનો હીરો સુશાંતસિંહ રાજપૂત છે. સારાની આ પહેલી ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ થઇ ગયું છે. જો કે આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ સારા ઇમેજ બનાવવા માટે ગંભીર છે. તેણે આ ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી કોઇ ફિલ્મ નહિ કરવાનું નક્કી કર્યુ છે અને આ કારણે સાત ફિલ્મોની સ્ક્રિપ્ટને ના કહી દીધી છે. સારાએ કહ્યું હતું કે તે જાણીતા અને હિટ હોય તેવા સ્ટાર સાથે જ કામ કરવાની છે. તે હાલમાં અન્ય કોઇ નવા સ્ટાર સાથે કામ કરવા ઇચ્છતી નથી. સારા આલિયા ભટ્ટના પગલે ચાલી રહી હોય તેમ લાગે છે. કેદારનાથ જુનમાં રિલીઝ થશે.

(9:35 am IST)