કસૌટી જીંદગી કીના એક્ટર સિદ્ધાંત સુર્યવંશીનું નિધન
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર : જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે મોત
નવી મુંબઇ, તા.૧૧ : કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, વૈશાલી ઠક્કર, દિપેશ ભાનના નિધન બાદ હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
કસૌટી ઝિંદગી કી જેવી લોકપ્રિય સિરિયલોના જાણીતા ચહેરા અભિનેતા અને મોડલ સિદ્ધાંત વીર સૂર્યવંશીનું ૪૬ વર્ષની ઉમરે નિધન થયું છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકના કારણે એક્ટરનું નિધન થયું હતું
ટીવી એક્ટર જય ભાનુશાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ન્યુઝને કન્ફર્મ કર્યા છે. તેમને એક્ટર સિદ્વાંત વીરનો ફોટો શેર કરતાં લખ્યુ કે, ભાઇ તુમ બહુત જલ્દી ચલે ગયે.
મહત્વનું છે કે, જયને પણ આ જાણકારી તેના કોમન મિત્રએ આપી હતી અને કહ્યું કે, વર્કઆઉટ દરમિયાન એક્ટરને અટેક આવ્યો અને તેણે દુનિયાને અલવિદા કહી દીધુ.