મારા નામ સાથે મારો ચહેરો પણ ઓળખી ગયા છે લોકો: વિકી કૌશલ
મુંબઈ: સંજુ અને રાઝી જેવી બોલીવુડ ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી તમામને પ્રભાવિત કરનાર અભિનેતા વિકી કૌશલ અત્યારે પોતાની આગામી ફિલ્મ મનમર્જિયાને લઈ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અત્યાર સુધીની પોતાની ફિલ્મોના પાત્ર કરતા હટકે રોલમાં જોવા મળશે. મશાન ફિલ્મથી પોતાના કરીયરની શરુઆત કરી એકબાદ એક દમદાર અભિનય કરનાર વિકી કૌશલે ફિલ્મ, કરીયર અને લગ્ન જેવા મુદ્દા અંગે પત્રકારો સાથે વાતચીત કરી. વિકી કૌશલે પોતાની અત્યાર સુધીની સફળ કરીયર અંગે ભગવાનનો આભાર માન્યો. તેણે જણાવ્યુ કે ફિલ્મ મેકર્સ મારા પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, સારુ લાગી રહ્યુ છે. તેણે જણાવ્યુ કે, હું મારુ શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરતો રહુ છું, દર્શકોને અભિનય પસંદ પડે છે ત્યારે સારુ લાગે છે. ફિલ્મ રાઝી અને સંજુ અંગે વિકીએ જણાવ્યુ કે, આ ફિલ્મો મારફતે મને વધુ ઓડિયન્સ સુધી પહોંચવાની તક મળી.પહેલા લોકો જાણતા હતા કે હાં યાર આ તો મશાનવાળો છોકરો છે. લોકો વિચારતા હતા કે હાં આને કોઈક ફિલ્મમાં જોયો તો છે. પરંતુ હવે લોકો મારા નામ સાથે મારો ચહેરો પણ ઓળખી ગયા છે અને તેઓ મારા કામથી પણ મને જાણવા લાગ્યા છે.