આગળ વધી રહ્યો છે અધ્યયન
શેખર સુમનના દિકરા અધ્યયનસુમનની કારકિર્દી ફરી વેગ પકડી રહી છે. તાજેતરમાં તેનું મ્યુઝિક આલ્બમ પેગ દરિયા સે આવ્યું હતું. જેમાં દિલ તુટી ગયા પછી કઇ રીતે તેમાંથી બહાર આવવું તેની વાત છે. નોંધનીય વાત એ છે કે અધ્યયને અસલી જિંદગીમાં પણ બબ્બે વખત દિલ તોડાવ્યું છે. એક વખત માયરા મિશ્રા અને બીજી વખત કંગનાને કારણે અધ્યયનું હૃદય ભંગ થયું હતું. તે કહે છે હું કોઇનું નામ લઇને વાત નહિ કરું. પણ એટલુ કહીશ કે નવી નવી જુવાનીમાં દિલ તૂટે એટલે તમે સાવ ભાંગી જ પડો. દેવદાસ જેવા થઇ જાવ, પરંતુ ત્રીસ પછી તમે પરિપકવ થઇ જાઓ છો. ત્યારે તમે તમારી જાતને સમજાવી અને સંભાળી શકો છો. હું એ વખતે સાવ ભાંગી પડ્યો હતો. પણ પછી સમજાયું જે થવાનું હતું એ થઇ ગયું. અધ્યયન વેબ સિરીઝ આશ્રમમાં પણ ખાસ ભુમિકામાં જોવા મળ્યો હતો. એક સમયે તેની કારકિર્દી પણ ડામાડોળ થઇ ગઇ હતી. ત્યારે તેના માતા-પિતા પણ દુઃખી થઇ ગયા હતાં. પરંતુ તેમણે જ તેને એ સમયમાં સાથ આપ્યો હતો. અધ્યયન હવે માતા-પિતાની છત્રછાંયાથી દુર રહી તેમના આશીર્વાદથી મંઝીલ તરફ નીકળી ગયો છે.