ફિલ્મ જગત
News of Tuesday, 10th December 2019

છલાંગ... નુસરત ભરૂચાની રાજકુમાર રાવ સાથેની ફિલ્મનું નામ બદલાયું

અભિનેતા રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ તુર્રમ ખાન હવે નામથી રિલીઝ થશે. આ ફિલ્મનું નામ હવે 'છલાંગ' રખાયું છે. ૩૧મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આ ફિલ્મ આવશે. નિર્દેશક હંસલ મહેતાએ આ ફિલ્મનું નામ બદલવામાં આવ્યાનું કહ્યું હતું. જો કે નામ બદલવાનું કારણ સામે આવ્યું નથી. તુર્રમ ખાન નામ બદલાયા પછીનું પોસ્ટર-ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. જેમાં રાજકુમાર સાથે નુસરત રોમાન્ટીક પોઝમાં જોવા મળે છે. બંને બાજુ-બાજુમાં બેસી ચા પીતા જોવા મળે છે. છલાંગ્ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે. ઉત્તર પ્રદેશના નાનકડા શહેર પર આ ફિલ્મની કહાની આધારીત છે. આ ફિલ્મનું નિર્માણ અજય દેવગણ, લવ રંજન અને અંકુર ગર્ગ સાથે મળીને કરી રહ્યા છે. રાજકુમાર રાવ અને નુસરત અગાઉ ૨૦૧૦માં લવ સેકસ ઓૈર ધોખામાં સાથે કામ કરી ચુકયા છે.

 

(5:43 pm IST)