16 કરોડના ફ્રોડ કેસમાં નિર્માત્રી પ્રેરણા અરોરાની ધરપકડ
મુંબઈ:ફિલ્મ નિર્માતા પ્રેરણા અરોરાની મુંબઈ ક્રાઈમ બ્રાંચે 16 કરોડના ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. પરંતુ હાલ તે વાતની જાણકારી મળી શકી નથી કે, તેની સત્તાવાર ધરપકડ ક્યા કેસમાં કરવામાં આવી છે. પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, 16 કરોડ રૂપિયાની છેતરપીંડીના કેસમાં તેની સંડોવણીના કારણે તેની ધરપકડ થઇ છે. જાણકારો અનુસાર, ફિલ્મ નિર્માતા પ્રેરણા અરોરાને આર્થિક ગુનામાં સંડોવણીના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. નિર્માતા પ્રેરણા અરોરા પહેલા ફિલ્મ કેદારનાથ સાથે જોડાયેલી હતી. પરંતુ બાદમાં નિર્દેશક અભિષેક કપૂરની સાથે અણબન બનતા તેમને ફિલ્મ કેદારનાથથી પોતાના હાથ પાછા ખેંચી લીધા હતા. નિર્માતા અરોરા રૂસ્તમ, પેડમેન, પરી અને ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મોના પ્રોડ્યૂસ કરી ચૂકી છે.